Posts

MADHAV FARMHOUSE ANKOLVADI (GIR)

જન્માષ્ટમી વેકેશન મા કુદરતી સૌંદર્ય માણવાની ઉત્તમ જગ્યા... વેકેશન ની મજા માણવા માટે તમારાં બજેટમાં ને કુદરતી સાનિધ્ય ગીર ની ગોદ મા Madhav farmhouse ને સંગ... *મોજ મસ્તી ને ક્યારેય પેન્ડીંગ માં રાખવી નહીં.......* *કારણ કે...સમય નું ક્યારેય રીઝર્વેશન થતું નથી.......* જમજીર નાં ધોધ થી એક્દમ નજીક 12 કિલોમીટર... દીવ રોડ પર આવેલુ માધવ ફાર્મહાઉસ દીવ થિ 60 કિલોમીટર... 【સગવડતા】 ■ રૂમ ■ ટેન્ટ ■ સ્વીમીંગ પુલ ■ મ્યુઝીક સીસ્ટમ ■ ગેમ ઝૉન ■ કાઠીયાવાડી થાળી ■ પ્લે એરીયા ■ પાર્કીંગ ■ બગીચો ■ બાળકો માટે રમત ગમત નાં સાધનો ■ એડવેન્ચર પાર્ક (સ્વખર્ચે) ■ જગલ સફારી (સ્વખર્ચે, દેવડિયા પાર્ક, આંબરડી પાર્ક) ◆ AC રૂમ ફુલ પેકેજ ◆ ■ 1050 મા 1 દિવસ 1 રાત 1 મેમ્બર માટે... ■ AC રૂમ 3 બેડ બે એક્સ્ટ્રા ગાદલા ■ નાસ્તો,બપોર, સાંજ નું જમવાનું અમારાં ડાયનીગ હોલ પર ■ સ્વીમીંગ પુલ ■ મ્યુઝીક સીસ્ટમ ■ ગેમ ઝૉન ■ પ્લે એરીયા ■ બગીચો ■ પાર્કીંગ ■ બાળકો માટે રમત ગમત નાં સાધનો બગીચો ... ◆ નો...

ગોળ અને ખાંડમાં શુ ફેર છે ? ક્યુ સારું છે ?

ગોળ અને ખાંડમાં શુ ફેર છે ? ક્યુ સારું છે ? શા માટે ગોળ જ વપરાય ?? વગેરે માહિતી તમારા માટે... આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટ માં પચે તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં નાં હોવી જોઈએ જે પાચન ક્રિયા ને રોકે.... આપણા દેશમાં એક ખુબ જ મોટી લેબોરેટરી છે જેનું નામ CDRI (CENTRAL Drug research institute) છે. રાજીવભાઈ ત્યાં ગયા, વેજ્ઞાનિકો સાથે વાત કરી કે તમે જણાવો કે ભોજન માં એવી કઈ કઈ વસ્તુ છે જે આપણા ભોજનની કુદરતી સાકર ને શરીર માટે મદદ રૂપ થવામાં અડચણ રૂપ થાય છે તો બધા વેજ્ઞાનિકો એ એક જ અવાજે જે વસ્તુનું નામ લીધું હતું, તેનું નામ ખાંડ હતું. તેની જગ્યાએ શું ખાઈએ. જવાબ છે... ગોળ ગોળ અને ખાંડમાં ફરક ! બન્નેમાં ઘણો ફરક છે, ખાંડ બનાવવા માટે શેરડીના રસમાં ૨૩ ઝેર (કેમિકલ) ભેળવવા પડે છે,અને તે બધા શરીર ની અંદર તો જાય છે પરંતુ બહાર નથી નીકળી શકતા અને ગોળ એક જ એવો છે કોઈ પણ ઝેર ભળ્યા સિવાય સીધે સીધો બને છે શેરડીના રસને ગરમ કરતા જાઓ,ગોળ બની જાય છે.તેમાં કઈ પણ ભેળવવું પડતું નથી.માત્ર તેમાં દૂધ ભેળવવાનું છે બીજું કઈ ભેળવવાનું નથી....

બાજરો

Image
એક સમય હતો જ્યારે લોકો ઘઉંની સાથે સાથે બીજા અનાજ જેવા કે જઉં, જુવાર, મકાઈ, બાજરો વગેરે ભેળવીને બનેલા લોટની રોટલી ખાતા હતા. જેને લીધે તેઓ સ્વાસ્થ્યમંદ અને ખુશહાલ જીવન જીવતા હતા, જ્યારે અત્યારના સમયમાં માત્ર ઘઉંના લોટની જ રોટલી ખાવામાં આવે છે. એવામાં લોકોને જરૂરી માત્રામાં પ્રોટીન અને અન્ય તત્વો નથી મળતા. જો કે આ દરેક ધાન્યોમાંના એક બાજરાને સૌથી પૌષ્ટિક માનવામાં આવે છે. પણ આજના સમયમાં બાજરાની રોટલી ખુબ ભાગ્યે જ બનતી હશે. જો કે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ બાજરાની રોટલી બનાવવામાં આવે છે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખુબ જ ફાયદેમંદ છે. આજે અમે તમને બાજરો ખાવાથી થતા એવા ફાયદા વિશે જણાવીશું, જેને જાણીને તમે પણ બાજરો ખાવાનું શરૂ કરી દેશો. 1. વધારે છે એનર્જી: બાજરાની રોટલી સ્વાદમાં જેટલી જ સ્વાદિષ્ટ હોય છે, સ્વાસ્થ્ય માટે તેટલી જ ફાયદેમંદ પણ છે. ઘઉં અને ચોખાની તુલનામાં બાજરામાં અનેક ગણી એનર્જી હોય છે, બાજરાની રોટલી ઘીની સાથે ખાવાથી તેનું ન્યુટ્રીશન અનેકગણું વધી જાય છે, તેના નિયમિત...

ગાય નું ખીરૂં.

વૈદકીય ભાષામાં કહીએ તો **પિયુષ* દેશી ભાષામાં બળી નું આરોગ્ય ની દ્રષ્ટિએ પોષકમુલ્ય... સસ્તનધારી પ્રાણીઓ ની માદા જયારે બચ્ચાં ને જન્મ આપે છે ત્યારે કુદરત એ માતા ના સ્તન માંથી નવજાત ને પોષણ આપવા જે પ્રથમ દૂધ નો સ્ત્રાવ કરાવે છે એને આયુર્વેદ માં પીયૂષ કહે છે ... ભાવપ્રકાશ માં દુગ્ધવર્ગ માં લખેલ છે કે, क्षीरं तत्काल सूताया घनं पीयूष मूच्यते । તરતજ વિયાયેલીનું ઘાટું દૂધ पीयूष - ખીરૂ કહેવાય છે. પીયૂષ શબ્દ ની સંસ્કૃત વ્યુત્પતિ આ પ્રમાણે છે... पीयू प्रीतौ इतिसौत्रो धातुः तस्मात् पीयूरूषन् । એટલે કે , જે તૃપ્તિ આપતું હોવાથી પ્રિતીકર છે એટલે પીયૂષ... લોકબોલીમાં જેને ખીરૂં કહેવામાં આવે છે અને અંગ્રેજી માં Colostrum કહેવાય છે... વિયાયેલ ગાય નું પ્રથમ ખીરૂં સામાન્યરીતે માનવ ઉપયોગ માં નથી લેતાં પણ બીજા - ત્રીજા દિવસ નું ખીરૂં ... સાકર મેળવી ને એને ખમણ - ઢોકળાં ની જેમ વરાળ માં બાફી ને સરસ વાનગી બનાવાય છે...જેને બળી કહે છે. તમીલ નાડું માં આ "બળી" મીઠાઇ ની દુકાને Salem નામે વેચાણ થાય છે તો, Ucrain નામ ના દેશ માં molozyvo નામે પરંપરાગત રીતે પ્રસિદ્ધ છે... એટલે ...

કોણ ક્યારે ડરે છે

કોણ ક્યારે ડરે છે (૧) જ્યારે તમે સવારના નાસ્તામાં કાંઈ ન લો ત્યારે પેટ ડરે છે. (૨) જ્યારે તમે ૨૪ કલાકમાં ૧૦ ગ્લાસ પાણી પીતા નથી ત્યારે કિડની ડરે છે. (૩) જ્યારે તમે ૧૧ વાગ્યા સુધી સૂઈ જતા નથી અને સૂર્યોદય સુધી જાગતા નથી ત્યારે પિત્તાશય ડરે છે. (૪) જ્યારે તમે ઠંડો અને પડતર ખોરાક ખાતા હો ત્યારે નાના આંતરડા ડરે છે. (૫) જ્યારે તમે વધુ તળેલો અને મસાલેદાર ખોરાક ખાવ ત્યારે મોટા આંતરડા ડરે છે. (૬) જ્યારે તમે ધુમ્રપાન, ગંદકી અને સિગારેટ અને બીડીના દૂષિત વાતાવરણમાં શ્વાસ લેતા હો ત્યારે ફેફસાં ડરે ​​છે. (૭) જ્યારે તમે ખોરાક મા જંક અને ફાસ્ટ ફૂડ ખાવ ત્યારે યકૃત ડરે છે. (૮) જ્યારે તમે વધુ મીઠું અને કોલેસ્ટ્રોલ થાય તેવું ભોજન લેતા હો ત્યારે હૃદય ડરે છે. (૯) સ્વાદ અને મુક્ત રીતે ઉપલબ્ધ હોવાથી તમે વધુ મીઠાઈ ખાવ ત્યારે સ્વાદુપિંડ ડરે છે. (૧૦) જ્યારે તમે અંધારામાં મોબાઇલ અને કમ્પ્યુટર સ્ક્રીનના પ્રકાશમાં કામ કરો ત્યારે આંખો ડરે છે. અને (૧૧) જ્યારે તમે નકારાત્મક વિચારો વિચારી શકો ત્યારે મગજ ડરશે. તમારા શરીરના ભાગોની કાળજી રાખો અને તેમને ભયભીત બનાવશો નહીં. આ બધા શરીરન...

પાણી અને મોઢાની લાળ દ્વારા વજન ઘટાડો

સલાઈવા – એટલે કે લાળ – મુખરસ – શું તમને ક્યારેય કલ્પના કરી છે ખરી કે તે કેટલી કીંમતી છે? તમારે તમારા પાણી પીવાની માત્ર આ એક આદત સુધારવાની છે અને જોતજોતામાં તમારું આખું શરીર બદલાઈ જશે. આપણામાંના ઘણાને ચોવીસે કલાક આપણા મોઢામાંથી છૂટ્ટી પડતી આ કીમતી લાળના ફાયદાઓ વિષે જાણ નહીં હોય. પણ આયુર્વેદના એક ગ્રંથ અષ્ટાંગ હૃદયસંહિતા જેને મહાન ઋષી વાગભટ દ્વારા લખવામાં આવી છે. તેમાં તેના ફાયદાઓ વિષે વિસ્તૃત રીતે જણાવવામાં આવ્યું છે. આયુર્વેદ આજે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આપણે પાણી પીવાની માત્ર આપણી રીત બદલીને વજન તો ઘટાડી જ શકીએ છીએ પણ તેની સાથે સાથે આપણા જે પેટને લગતા રોગો છે તેમાં પણ ધરખમ ઘટાડો લાવી શકીએ છીએ. તો ચાલો જાણીએ પાણી યોગ્ય રીતે પીવાની રીત વિષે. *પાણીને ઘૂટડે ઘૂટડે ધીમે ધીમે પીવો* આપણા પેટની તાસીર એસીડીક હોય છે કારણ કે તેમાં હાઇડ્રોક્લોરીક એસિડ હોય છે જે આપણને ખોરાક પચાવવામાં મદદ કરે છે. આપણા મોઢાની લાળમાં ક્ષાર રહેલો હોય છે અને તેનું કામ પેટમાંના એસીડને સંતુલીત કરવાનો છે. જ્યારે આપણે ઘટઘટાવીને ઝડપથી પાણી પી જઈએ છીએ ત્યારે આપણા મોઢાની લાળ તે પાણી સાથે વ્યવસ્થીત ર...

नाभि पर घी लगाने के फायदे

आज हम आपको रात को सोते वक़्त नाभि में गाय का देशी घी या नीम के तेल, सरसों के तेल, बादाम के तेल, नारियल या जैतून के तेल आदि की कुछ बूंदे लगाने से जो फ़ायदे होंगे उसके बारे में बताएँगे। आप अपनी त्वचा को अच्छा बनाने के लिए और अपनी दर्दो के लिए और प्रज*नन के लिए पता नहीं क्या-क्या नुस्खे अपनाते होंगे और आप कई सारी दवाओं का उपयोग भी करते होंगे लेकिन आपको आश्चर्य होगा कि पेट की नाभि पर तेल की कुछ बूंदें लगाने से आपको कितना फायदा हो सकता है क्या आप जानते है यहाँ तेल रगड़ने से जोड़ों के दर्द, घुटने का दर्द, सर्दी, जुकाम, नाक बहने और त्वचा संबंधी परेशानियों से निजात मिल सकती है। यहाँ हम आपको बतायेंगे की किस प्रकार आप अपनी नाभि इन तेलों को डाल कर दूर कर सकते हैं अपनी इन समस्याओ को जो आपके लिए मुश्किल भी नहीं हैं करना और जिसके द्वारा आपको इन चीजों से बहुत जल्दी आराम मिल जाएगा, तो चलिए जानते हैं कौन से है वो तेल जो करेंगे आपको रोग मुक्त। मनुष्य के शरीर में हर बॉडी पार्ट्स का कनेक्शन नाभि से जुड़ा हुआ होता है। नाभि में रोज चुटकी भर घी की दो बूंदे लगाना ही हमें कई बीमारियों से बचाने के लिए पर्याप्...