કુદરતે મનુષ્ય શરીર માટે બનાવેલી આરોગ્ય ઘડિયાળ

નિંદ્રાનો સમય રાત્રી ના ૧૧ થી ૩ સુધી લોહી નો મહત્તમ પ્રવહ લીવર તરફ હોય છે. આ એ મહત્વ નો સમય છે જયારે શરીર લીવર ની મદદ થી, વિષરહિત થવાની પ્રક્રિયા માં થી, પસાર થાય છે, એનો આકાર મોટો થઈ જાયે છે, પણ આ પ્રક્રિયા આપ ગાઢ નિદ્રા માં, પોહચો પછીજ શરૂ થાયે છે.


તમે ૧૧ વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પોહચો પછીજ
આ પ્રક્રિયા શરૂ થાય અને તો શરીર ને, પુરા ૪ કલાક મળે વિષમુક્ત થવા માટે.

હવે તમે જો ૧૨ વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પહોંચો તો તમારા શરીર ને ૩ કલાક જ મળે. જો, ૧ વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પહોંચો તો તમારા શરીર ને 2 કલાક જ મળે. અને જો 2 વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પહોંચો તો તમારા શરીર ને ૧ જ કલાક મળે.

જ્યાં ૪ કલાક ની તાતી જરૂર હોય ત્યાં ઓછા કલાક મળવા થી વિષ મુક્તિ નું કાર્ય સંપૂર્ણ રીતે ના થઈ શકે. અને શરીર વિષયુક્ત રોગો નું ઘર થતું જાયે.

થોડું વિચારી જુવો જયારે પણ તમે મોડી રાત સુધી જાગ્યા હોવ ત્યારે ગમે તેટલા કલાક ઊંઘો તમને પોતાની કાયા બીજે દિવસે થાકેલીજ લાગશે.

શરીર ને વિષમુક્ત થવા પૂરતો સમય ના આપી ને, શરીર ની બીજી અનેક ક્રિયાઓમાં તમે અજાણતાંજ અવરોધ ઉત્પન્ન કરો છો.

બ્રહ્મા મુરત એટલે સવારે ૩ થી ૫ ના સમય માં લોહી નું સંચરણ ફેફસાં તરફ થતું હોય છે. જે અત્યંત જરૂરી ક્રિયા નું સ્થાન છે તે વખતે તમે મન અને તનને સ્વચ્છ કરી, ધ્યાન જેવી સુક્ષ્મા પ્રક્રિયામાં જાતને પરોવી જોઈએ જેથી બ્રહ્માંડીય ઉર્જા જે તે સમય એ વિપુલ માત્રા માં સહજ ઉપલબ્ધ હોય તે તમને પ્રાપ્ત થાય,

તે પછી ખુલ્લી હવા માં, વ્યાયામ કરવો જોઈએ હવા માં
આ સમયે લાભપ્રદ આયન ની માત્રા ખૂબજ વધારે હોય છે.

૫ થી ૭ શુદ્ધ થયેલા રક્ત નો સંચાર તમારા મોટા આંતરડા તરફ હોય છે. જે પાછલો મળ કાઢવાની પ્રક્રિયા માં સક્રિય ભાગ લે છે અને શરીર ને આખા દિવસ દરમિયાન લેવાતા પોષક તત્વો ગ્રહણ કરવા માટે તૈયાર કરે છે

પછી સૂર્યોદય ના સમય એ, 7- 9 શુદ્ધ રક્ત સ્વચ્છ શરીર ના પેટ અને આમાશય તરફ વહે છે. આ સમય છે જયારે પૌષ્ટિક નાસ્તો એટલે શિરામણ આરોગવો જોઈએ.

તમારા દિવસ નો તે સહુથી જરૂરી આહાર છે. સવારે પૌષ્ટિક નાસ્તોના કરતા લોકો ને ભવિષ્ય માં ઘણી બધી આરોગ્ય-લક્ષી સમસ્યા નો સામનો કરવો પડે છે.

આ કુદરત એ તમારા શરીર માટે બનાવેલી આરોગ્ય ઘડિયાળ છે. એને અનુસરવા થી ચિતા સુધી ચાલતા જઈ શકાય.

હવે તમે પૂછશો કે ક્યારેક કોઈ કાર્ય મોડી રાત સુધી કરવું પડે તો શું કરવાનું?

હું તો વિનંતી કરીશ કે કેમ જલદી સૂઈ ને વહેલા ઉઠી ને ના કરી શકાય ? બસ તમારા મોડી રાત ના કાર્યો ને વહેલા ઉઠી ને કરવાની આદત પાડો સમય તો સરખોજ મળશે.
પણ સાથે સાથે સ્વસ્થ શરીર પ્રાપ્ત થશે. 👍🙏🏻

Comments

Popular posts from this blog

વન વગડાની વનસ્પતિ :- વિકળો

ગળજીભી (ભોંય પાથરી)

કુવાડિયો છોડનો પરિચય