Posts

Showing posts from February, 2020

પીળી આવળ

આવળ ભારતમાં બધે જ થાય છે. એનાં પીળાં સોનેરી ફૂલોથી આ છોડ તરત ઓળખાઈ જાય છે. આવળ કડવી, શીતળ અને આંખોને હિતકારક છે. 👉🏽 એક ચમચી આવળના ફૂલની પાંદડીઓ અને એટલી જ સાકર ગાયના દૂધમાં વાટીને ચાટી જવાથી સગર્ભા સ્ત્રીઓની ઊલટી-ઊબકા બંધ થાય છે. 👉🏽 આવળના ફૂલોનો ગુલકંદ પેશાબના, ત્વચાના અને પેટના રોગોમાં સારો ફાયદો કરે છે તથા શરીરનો રંગ સુધારે છે. 👉🏽 પગના મચકોડ પર આવળના પાન બાંધવાથી મચકોડનો સોજો અને દુ:ખાવો મટી જાય છે. 👉🏽 આવળનાં ફૂલોનો ઉકાળો અથવા આવળના પંચાંગનું ચૂર્ણ અડધી ચમચી જમતાં પહેલાં લેવાથી અને જરૂરી પરેજી પાળવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે.

રાજગરો એટલે કુદરતી સ્ટીરોઇડ

🎯રાજગરો એટલે કુદરતી સ્ટીરોઇડ ફક્ત રાજગરામાં જ કુદરતી સ્ટીરોઈડ છે, રાજગરો લોહીમાં સુગરનું લેવલ વધવા દેતો નથી, ડાયાબિટીસ દર્દી માટે શ્રેષ્ઠ છે, જેમાં કોલેસ્ટ્રોલ ઓછું છે જે મગજ ને લીવરની તાકાતમાં વધારો કરે છે, વા, સાંધાની તકલીફમાં ઉત્તમ છે, ચામડીના રોગ ના થવા દે, સ્ટેમીના વધારે, શરીરના સ્નાયુનો વિકાસ કરે, તેમજ ચયાપચયની ક્રિયામાં વધારો કરે, રક્તકણો નો વિકાસ કરે, જો રાજગરાનો ઉપયોગ દેશી ગોળ સાથે શિરો બનાવીને અઠવાડિયામાં બે વાર ખાવામાં આવે તો તે આપણા આરોગ્યનો હીરો બને છે ને શરીર સુડોળને ખડતલ બને છે, તો ચાલો આજથી જ રાજગરાનો ઉપયોગ કરીને શરીરમાં સાચા આરોગ્યથી "રાજ" કરીએ 🎯ઉપવાસ સિવાય પણ સપ્તાહમાં 1વાર ખાઓ રાજગરો, મળશે 10 જબરદસ્ત લાભ. 🎯રાજગરામાંથી પ્રોટીન, વિટામિન સી, ઈ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. સપ્તાહમાં માત્ર એકવાર રાજગરાને ખાવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણાં લાભ મળી શકે છે. રાજગરો ખાવાથી એનિમિયામાં લાભ થાય છે. આંખો અને હાર્ટ હેલ્ધી રહે છે. હરસ-મસા, ખરજવું, પેટની ચૂંક અને પેશાબની ઓછપની તકલીફમાં રાજગરો ઔષધ જેવું કામ કરે છે...

આયુર્વેદને સ્વીકારો સ્વસ્થ રહો

Image
મહામારીનું કામ અંદર ઘૂસી જવું વત્તા બહાર લેતા જવું આપણું ના આવો ના આવજો સાથે બારણે સાબદા થવું ફરી એકવાર ધૂળના કણથી સૂક્ષ્મ દુશ્મન ત્રાટક્યા છે. ૨૦૧૯ નોવેલ કોરોના નામના વાઇરસ ચીનથી માનવ ભક્ષણ શરૂ કરીને આગળ વધી રહ્યા છે. સમગ્ર વિશ્વ ભયભીત છે કે ભયમાં છે એવું ક્યાંક કોઈને ખરેખર લાગતું હશે. રોગનું એપિસેન્ટર ચીનનું વુહાન શહેર છે, વાસ્તવમાં વુહાનની એક સરકારી પ્રયોગશાળા છે. વાઇરસ અંગે સંશોધન કરવા જ્યારે આ અત્યાધુનિક ફેસિલિટીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં ત્યારે અમુક વિજ્ઞાનીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે આ ફેસિલિટી ખુદ રાક્ષસી સમસ્યા સર્જી શકે છે. ચીનની નંબર વન બનવાની હઠને ધ્યાનમાં રાખીને ઘણાંએ શંકા સેવેલી કે ચીન સંશોધનના નામે કશું પણ કરી શકે છે. છતાં વુહાન ખાતેની ફેસિલિટી રંગેચંગે કામ કરતી રહી. ચીનમાં મીડિયા કેવળ સરકારના કે સામ્યવાદી પક્ષના ચોર ખીસામાં ગુપ્ત રહેતી આંગળીઓ નચાવે એમ નાચે છે તેથી આ નવીન રોગની અસરથી લઈને મૃત્યુ સુધીના સાચા સમાચાર આપણને મળે એ ખ્યાલ બિનવૈજ્ઞાનિક છે એ સ્વીકારવું રહ્યું.  વિશ્વના ઘણાં સંશોધનકારોની ધારણા અનુસાર ૨૦૧૯ નોવેલ કોરોના વાઇરસ 'ને તેના થકી થતાં રોગના મૂળમાં...