Posts

Showing posts from August, 2018

અંજનગીરી પર્વત

Image
મહારાષ્ટ્રના નાસિકથી ત્રિમ્બકેશ્વર જતા ત્રિમ્બકેશ્વર પહેલા 4 કિમિ,રસ્તા થી ડાબી સાઈડમાં સાંકડા અને કાચા રસ્તા દ્વારા 3/4 કિમિ જેટલું જતા , ટ્રેકિંગ માટેની પગદંડી ચાલુ થાય છે, જે લગભગ 3 કિમિ જેટલું સીધું ચડાણ છે, એટલે શ્વાસ ચડવા તરત ફૂલવા માંડે છે , ! વરસાદમાં પૂર્ણ સૌંદર્ય માણવા મળે છે, ટ્રેકિંગના શોખીનોને આનંદ આવી જાય અને થોડા સમયમાં અને થોડા ખર્ચમાં થાય તેવું સ્થળ છે, આવતા જતા 2/3 કલાક લાગી શકે , જગંલના કાયદા પ્રમાણે કેમેરા ના લઇ જઈ શકાય, પણ મોબાઈલ ની છૂટ છે, !!! ફોરેસ્ટના બે સિપાહી હાજર હોય છે, ! નજીકમાં ત્રિમ્બકેશ્વર જ્યોતિર્લિંગના દર્શનનો લાભ પણ મળે, પર્વત વિષે લોકવાયકા પ્રમાણે હનુમાનજી નું જન્મ સ્થાન મનાય છે , અંજનગીરી પર્વત, માં અંજનીનું સ્થાનક ગણાય છે. લેખક :- પ્રકાશ ધોરાડા

વૈધરાજની માહિતી

👍 નવલભાઇ ભાવસાર શીવજીનગર શેરી નં 2 વેરાવળ. મો. 94269 54812 32 વરસ થી વિનામુલ્યે સારવાર અને ઔષધ આપે છે. આપણી વનસ્પતિ ના જાણકાર હોય ઔષધી જાતે પણ બનાવે છે. 👍 સાઇટીકા મણકા ખસી ગયા હોય કમર માટે સારા વૈદ Sabridham thi aahwa jawana raste BADINA GAAVTHA (Dang jillo) game Hasu bhai Chorya tarat j khasi gayela manka ane gaadi besadi aape chhe..100% result.. 👍 જીવારામ બાપુ મુ.વિજપડી તા. સા. કુંડલા જી.અમરેલી દેશી દવા ના જાણકાર

મામેજવો છોડનો પરિચય

Image
Enicostema littorale મામેજવો(ઝીણકુ કરિયાતુ) તરીકે ઓળખાય. તાવ અને પેટના રોગો માટે અને પણ ડાયાબિટીસ મા પણ ફાયદાકારક છે.. કાળીજીરી, લીમડો અને મામેજવો, અનુક્રમે શિયાળા, ઉનાળા અને ચોમાસાના તાવમા અક્સીર ઊપયોગી છે. આ મામેજવામા કુદરતી સ્વરુપે ક્લોરોક્વીન ( quinine) હોય છે. જેથી કરીને શરદઋતુના મેલેરીયામા તે લેવાય છે. સાભાર :- વન વગડો ફેસબુક ગ્રુપ

કુવાડિયો છોડનો પરિચય

Image
કુવાડિયાનાં બીજ પશુઆહાર માં વપરાય છે કુવાડિયો છોડ નાના હોય ત્યારે ભાજી ના ભજીયા કે મુઠીયા સરસ લાગે છે. એના બી પશુ આહાર માં વપરાય છે,ભમરી ના ડંખ પર એનો રસ લગાવવામાં આવે તો સારું થઇ જાય છે. ધાધર ખરજવા માટે અકસીર દવા શીંગમાંથી બી કાઢી ફટકડી,કપૂર, લીમડો,લીંબુ નો રસ,પાણાફાટ આ બધાનો લેપ કરી લગાડવાથી 100% ધાધર (ફન્ગલ ઇન્ફેકશન) મટે છે બી સુકાઇ જાય પછી તવાપર સેકીલેવાના પછી વાટીને ચાળી લેવુ પછી કોફીના બદલે ઉકાળી ને પીવું તમે એકવાર પીસોતો કોફી ને ભૂલી જાસો

હોલમાતાજી મંદિર જાલસીકા

Image
હોલ માતાજી નું મંદિર કે જે જાલસીકા ગામે આવેલ છે, આ ગામ મોરબી જીલ્લા ના વાંકાનેર તાલુકા માં મચ્છુડેમ ૧ ની બાજુમાં આવેલ છે, લીલાછમ ટેકરો ની વચ્ચે આ જગ્યા આવેલી છે. હોલ માતાજી નું આ મંદિર પૌરાણિક છે, મંદિર મા વર્ષો થી ગીરઓલાદ ની ગાયો નું જતન થાય છે, હાલ ૩૦૦ ગાયો છે જે ખુબ જ તંદુરસ્ત છે. ગાયો કેમ સંચવાય તે જોવું હોઈ તો હોલ માતાજી એ જવું પડે, મંદિર પાસે ૮૦ વિધા જમીન છે જેમાં ગાયો માટે ચારો વાવે છે. મંદિર દ્વારા કાયમી અન્નક્ષેત્ર, વૃક્ષારોપણ, ચકલા ને ચણ તથા સાંસ્કૃતિક પ્રવુંર્તીઓ કરવામાં આવે છે. હોલમાતાજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ આદરણીય શ્રી હરસુરભાઈ નારણભાઈ લોખીલ (૯૯૯૮૧૫૭૭૨૯, ૯૯૨૫૬૬૪૧૧૧) છે, જેઓ આ બધી પ્રવૃત્તિઓ રસ લઇ ને કરે છે. આવી સુંદર પ્રવુંર્તીઓ કરતા હરસુરબાપુ ને લાખ લાખ વંદન. લેખન અને ફોટોગ્રાફી વી.ડી.બાલાસાહેબ

બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર આભાપરા

Image
ભાણવડથી ફક્ત ૫ કિલોમીટરના અંતરે આવેલો બરડો ડુંગર.... કહેવાય છે જે અમુક ઔષધિઓ બરડામાં મળે છે દુનિયામાં બીજે ક્યાંય નથી મળતી આ ફોટોઝ ત્યાંની ઉંચી ટેકરી પર આવેલા આભાપુરાના છે. બરડા ડુંગરની ઊંચી ટોચ ત્રિકમજીબાપુની સમાધિ સ્થળ ઘુમલીથી ટ્રેકિંગ કરીને જવાય ભૃગુકુંડ પાસેથી પણ જવાય જામનગર થી પોરબંદર જવાના રસ્તે ત્રણ પાટીયા પછી મોડપર ગામ પહેલા કપુરડી નેસથી ઘુમલી જવાનું રહશે. ત્યાંથી ટ્રેકિંગ કરીને જવાય.

સાપ વિશે માહિતી

Image
ખાસ ખેડૂત મિત્રો માટે.. અટાણે સીઝન પ્રમાણે... થોડીક માહિતી જરૂરી છે ખાસ કરીને આપણા જેવા રખડુ રામ... ને ખેડૂતો માટે મારા પાહે છે એટલી લખાંહ... બની શકે અપુરતી ને અધુરી હોય... કારણ કે સરપ પકડવાનો ધંધો નેત મારો... પણ પનારું છે સરપ હારે ભાઈઓ સાપ.. સરપ ને લઈને બોવ બધી ખોટી માન્યતા ને અંધશ્રધ્ધાઓ આપણા સમાજમાં ભરેલી છે... જાણકારી મુજબ ગુજરાતમાં અંદાજે 250 પ્રકારના સાપ છે... પણ મોટાભાગના સાપ બીનઝેરી છે આપણા વિસ્તારમાં મુખ્યત્વે આ ચાર પ્રકારના જ ઝેરી સાપ છે... અને તે આપણી બાજુ જ વધારે છે.. 1 ચિતર... ખાડ ચિતોડ.. રસેલ વાઈપર 2 પૈડકું.. આપણીં પરળકું કીયે ઈ.. ફુરસા 3 કોબ્રા... ટુંકમાં ફેણ વારો 4 ક્રેઈટ પહેલો વરસાદ થયો હોય કે થવાનો હોય ત્યારે સાપ વધારે જોવા મડે છે... અને ત્યારબાદ છેલ્લા વરસાદ પછીં... નવરાત્રી દરમિયાન અને આ બેઈ સમયે આપણે ખેતરમાં કામ કરવાની. સિઝન હોય છે... આ સમયગાળો... સાપના સમાગમ નો... અને પછીં ઈંડાં મુકવાનો હોય છે.. 1 ચિતર... સૌથી ખતરનાક છે.. ઉપીર ફોટો છે જોવે લીજો બે ફેરે અંદાજીત સ્યાર ફુટ ને આસપાસ લંબાઈ હોય.. અને કુંડલી વળીને બેઠી હોય.. બાજુમાંથી નિહરીયે તો...

નારિયળના છોતરાની મદદથી એક દિવસમા જ કરો પીડાદાયક હરસ નો સચોટ ઈલાજ

Image
જો મિત્રો તમે કોઈ હરસ ની બીમારીથી પરેશાન છો ? તો આ ઉપચાર તમારી માટે બ્રમાસ્ત્ર થી ઓછો નથી. આ પ્રયોગ થી કેટલી પણ જૂની હરસ ફક્ત 2-3 દિવસમાં મટી જાય છે. આ ઉપાય થી એક દિવસમાં જ રક્તસ્ત્રાવ બંધ થઇ જશે. જે ખુબ સસ્તું અને અસરકારક ઉપાય છે. આવો જાણીએ આ પ્રયોગ. હરસનો ઈલાજ માટે નારિયળના છોતરા વાપરો આ માટે નારિયળના છોતરા લઇ એક માચીસથી સળગાવી ને બાળીને ભસ્મ બનાવી નાખો. આ ભસ્મને નાની શીશીમાં ભરીને રાખો. એકાદ કપ છાસ કે દહીંની સાથે ભસ્મ 3-4 gm ખાલી પેટ દિવસમાં 3 વાર ફક્ત એક દિવસ લેવાનું છે. આ માટે દહીં કે છાસ તાજી હોય એ જરૂરી છે. ગમે તેવી પણ જૂની હરસની બીમારી કેમ ન હોય, એક બે દિવસમાં સારું થઇ જશે. અને એક દિવસ મા કદાચ અસર ના કરે તો જ્યાં સુધી સારું નાં થાય ત્યાં સુધી આ ઉપચાર ચાલુ રાખો. આ પ્રયોગ કોઈ પણ પ્રકારના રક્તસ્ત્રાવને રોકવામાં અસરકારક છે. સ્ત્રીના માસિક ઘર્મમાં વધારે રક્તસ્ત્રાવ કે શ્વેત પ્રદરની બીમારીમાં પણ ખરો ઉતરે છે. વમન કે હિચકી ના રોગમાં પણ આ ભસ્મ એક ઘૂંટ પાણીની સાથે લેવી જોઈએ. આ પ્રકારના નુસખાઓ મંદિરોમાં અને મઠોમાં સાધુ સન્યાસિઓ દ્વારા કરવામાં આવેલ છે. આ નાળિયેર ના છોતરાના ઉપચારથી ...